આગામી તા.૨૭ માર્ચ, ૨૦૨૪ને બુધવારના રોજ લીલીયા તાલુકા સ્વાગત કાર્યક્રમ, લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં તાલુકા મથકે લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચતા કરવા.અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવું. સામૂહિક કે નીતિવિષયક સિવાયના પ્રશ્નો રજૂ કરવા, તેમ લીલીયા તાલુકા મામલતદારએ એક યાદીમાં જણાવ્યુ છે.