આઇપીએસ હસમુખ પટેલને રાજ્ય સરકારે ફરી એકવાર મોટી જવાબદારી સોંપી છે.આઇપીએસ હસમુખ પટેલને જીપીએસસીના ચેરમેન બનાવ્યા છે. ત્યારબાદ હસમુખ પટેલે કહ્યું હતું કે ખુબ જ મોટી જવાબદારી છે. તટસ્થતાથી કામ કરીશું. ૧૧ નવેમ્બરે ચાર્જ સંભાળીશ. તમને જણાવી દઈએ કે હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન પણ છે.
હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન બનાવ્યા છે. ભારતના બંધારણની કલમ ૩૧૬ની પેટા કલમ (૧) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે હસમુખ પટેલને ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી છે.
નોંધનીય છે કે દિનેશ દાસાની નિવૃત્તિ બાદ જીપીએસસીના ચેરમેન તરીકે નલીન ઉપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાદ તેઓ આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાના હોઈ સરકારે હવે લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલને ચેરમેન તરીકે વરણી કરી છે.