એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટમાંથી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આપવામાં આવેલા જામીનને પડકાર્યો છે. કેજરીવાલના જામીન રદ કરવા માટે ઈડ્ઢએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી આજે થવાની હતી. જા કે હવે ઈડ્ઢની અરજી પર હાઈકોર્ટમાં ૧૫ જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર ઈડીને જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે.
ઈડીએ કેજરીવાલના જવાબનો જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. ઈડીએ કહ્યું કે તેને મોડી રાત્રે કેજરીવાલના જવાબની કોપી મળી છે. કેજરીવાલના વકીલે આ દલીલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે ગઈ કાલે બપોરે ૧ વાગ્યે તપાસ અધિકારીને જવાબની નકલ સોંપી હતી. ઈડી વતી કોર્ટમાં હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે કેજરીવાલના વકીલોએ તેમને ૧૧ વાગ્યે તેમના જવાબની નકલ આપી. તેણે કહ્યું કે તે જવાબનો જવાબ આપવા માંગે છે તે જ સમયે, અરવિંદ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ દાવાને પડકાર્યો હતો અને કહ્યું હતું કે તેણે ગઈ કાલે બપોરે ૧ વાગ્યે તપાસ અધિકારીને જવાબની નકલ આપી હતી. સિંઘવીએ કહ્યું કે આ મામલે ઘણી તાકીદ છે અને તેઓ વળતો જવાબ આપવા માટે તૈયાર છે અને જવાબ આપ્યા વગર જ આ મામલે ચર્ચા કરશે. જાકે, જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કેસની સુનાવણી ૧૫ જુલાઈ સુધી ટાળી દીધી છે.