જ્યારથી પ્રભુ રામ પોતાના ભવ્ય મહેલમાં વિરાજમાન થયા છે, ત્યારથી લઈને અત્યાર સુધીમાં દેશ દુનિયાના રામભક્તો ધર્મ નગરી અયોધ્યામાં લાખોની સંખ્યામાં આવીને દર્શન કરી રહ્યા છે. વિરાજમાન થયા બાદ રામભક્ત બાળ રામને કંઈને કંઈ અર્પણ કરી રહ્યા છે. આ જ ક્રમમાં આજે મહારાષ્ટિના ૫૬ પ્રકારના ફળને એક વ્યક્તિએ પ્રભુ રામના દરબારમાં સમર્પણ કર્યું છે.
અખાત્રીજના દિવસે આજે અયોધ્યામાં બાળ રામના દરબારમાં ૫૬ પ્રકારના ફળનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે, જેમાં મહારાષ્ટિના એક ભક્તે અખાત્રીજના દિવસો પ્રભુ રામને ૧૧૦૦૦ હાફુસ કેરીને સમર્પણ કરી છે.
શરદ શર્માએ જણાવ્યું કે, જ્યારથી પ્રભુ રામ પોતાના ભવ્ય મહેલમાં વિરાજમાન થયા છે. ત્યારથી અનેક પ્રકારના સમર્પણ રામ ભક્તો કરી રહ્યા છે. અજબ ગજબ વસ્તુઓ પ્રભુ રામને અર્પણ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ગરમીની સીઝનમાં મહારાજને હાફુસ કેરી અર્પણ કરવામાં આવી છે.