શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે કહ્યું કે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા તમામ લોકોને બહાર ફેંકી દેવા જાઈએ. ભલે તે બાંગ્લાદેશનો નાગરિક હોય કે બીજા કોઈ દેશનો. તેમણે કહ્યું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. શિવસેના સાંસદ મિલિંદ દેવરાના નિવેદન પર સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે કહ્યું કે અમેરિકાથી ૧૭ હજાર ભારતીયોને પણ દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. ત્યાંથી કાઢી મુકાયેલા બધા ભારતીયો ગેરકાયદેસર નથી, પરંતુ તેમ છતાં તેમને અમેરિકાથી કાઢી મુકવામાં આવી રહ્યા છે. દેશના લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, આવી સ્થિતિમાં આ જવાબદારી દેવેન્દ્ર ફડણવીસ અને ગૃહ મંત્રાલયની છે. તેમણે કહ્યું કે અમે સંમત છીએ કે બાંગ્લાદેશીઓને દેશમાં રહેવાની મંજૂરી ન હોવી જાઈએ, પરંતુ આ લોકો ફક્ત ચૂંટણી સમયે જ આ મુદ્દો કેમ ઉઠાવે છે? તેમની સરકાર અહીં ૧૦ વર્ષથી છે, તેમણે આ પહેલા કોઈ કાર્યવાહી કેમ ન કરી? જા કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો સાથે મળીને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે આંદોલન શરૂ કરે તો તે સમગ્ર દેશ માટે સારું રહેશે.
મિલિંદ દેવરાએ મુંબઈની સુરક્ષા માટે દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે મહારાષ્ટ્રમાંથી બધા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા જાઈએ. તેમણે કહ્યું કે ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં બનતી આ ઘટનાઓ પછી, અહીંના લોકોને સુરક્ષિત રાખવા માટે સરકારે પગલાં લેવા જાઈએ. પત્રમાં તેમણે લખ્યું છે કે જા રાજ્યમાં કોઈ એવી વ્યક્તિ છે જેની પાસે કોઈ દસ્તાવેજા નથી અને તે અહીં ગેરકાયદેસર રીતે રહે છે, તો તે બધાને બહાર કાઢી નાખવા જાઈએ.
ભારતના ઘણા રાજ્યોમાં ઘૂસણખોરીની ઘણી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, દિલ્હી અને મહારાષ્ટÙ સહિત ઘણા રાજ્યોમાં તેમની વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તાજેતરના ભૂતકાળમાં, દિલ્હીમાં ઘણી વખત બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.