અમિતાભ બચ્ચનના ચાહકો તેમની એક ઝલકની આતુરતાથી રાહ જુએ છે. એટલા માટે બિગ બી ઘણીવાર રવિવારે તેમના મુંબઈ બંગલા, જલસાની મુલાકાત લે છે જેથી તેઓ તેમના ચાહકોને મળી શકે. ગયા રવિવારે, બિગ બી ચાહકો સાથે મળ્યા અને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ક્ષણ શેર કરી, સાથે એક ભાવનાત્મક નોંધ પણ આપી.

અમિતાભ બચ્ચને તેમના ટીવટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં, બિગ બીએ ચાહકો સાથેની તેમની મુલાકાતની ક્ષણનો એક ખાસ ફોટો શેર કર્યો. તેમણે તેમના ચાહકો માટે લખ્યું, ” ૫૫૮૨ – સ્મિત જે મને જીવવા અને અસ્તીત્વમાં રહેવા દે છે.” બિગ બીએ એમ પણ લખ્યું કે તેમના ચાહકો તરફથી મળેલી આ ખુશી તેમને આગળ કામ કરવાની શક્તિ આપે છે.

અમિતાભ બચ્ચન અનેક પ્રોજેક્ટ્‌સ પર કામ કરી રહ્યા છે. તેઓ નિતેશ તિવારીની ફિલ્મ “રામાયણ” માં જટાયુના પાત્ર માટે વોઇસ-ઓવર કરશે. બિગ બી ઉપરાંત, રણબીર કપૂર રામની ભૂમિકામાં, સાઈ પલ્લવી સીતા તરીકે, સની દેઓલ હનુમાન તરીકે અને રવિ દુબે લક્ષ્મણ તરીકે જોવા મળશે. આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૬ માં રિલીઝ થશે. તેઓ “બ્રહ્માસ્ત્ર ભાગ ૨” અને “કલ્કી ૨” જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. જોકે, આ દિવસોમાં બિગ બી લોકપ્રિય કવીઝ શો “કૌન બનેગા કરોડપતિ” ની સીઝન ૧૭ હોસ્ટ કરી રહ્યા છે.