હવે લોકપ્રિય ટીવી એક્ટર અમર ઉપાધ્યાય સાથે મોટી છેતરપિંડી થઈ છે. અભિનેતા સાથે કોઈએ છેતરપિંડી કરી અને હવે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. અમર ઉપાધ્યાયે હવે તેની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સામે કેસ દાખલ કર્યો છે. અભિનેતાએ હવે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીના ડાયરેક્ટર વિરુદ્ધ ૧.૨૫ કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં અભિનેતાએ કહ્યું છે કે તે એપ્રિલ ૨૦૨૨માં આ કંપનીના ૨ ડિરેક્ટરને મળ્યો હતો. આ સમય દરમિયાન, બંનેએ અભિનેતાને વચન આપ્યું હતું કે જા તે તેમના પૈસા તેમની સાથે રોકાણ કરશે તો તેને સારું વળતર મળશે. તેમની વાત માનીને અભિનેતાએ શરૂઆતમાં રૂ. ૨૦ લાખનું રોકાણ કર્યું હતું પરંતુ આ પછી તેઓએ અમરને કહ્યું કે જા તમે આનાથી પણ મોટી રકમનું રોકાણ કરશો તો વર્ષ ૨૦૨૬ સુધીમાં તમને ૫ થી ૧૫ કરોડ રૂપિયા મળી શકે છે. ત્યારપછી એક્ટર આ લોકોનો શિકાર બની ગયો અને તેણે વગર વિચાર્યે તેમની કંપનીમાં ૨.૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. હવે અમર ઉપાધ્યાય દાવો કરે છે કે આ કંપની તેના વળતર પર વારંવાર રોકાણ કરતી રહી અને તેને કહેતી રહી કે તેને સારો નફો મળી રહ્યો છે. આટલું જ નહીં, કંપનીએ અભિનેતાને ફેક એકાઉન્ટ સ્ટેટમેન્ટ પણ બતાવ્યું જેથી તેને સમજાવી શકાય કે તેને કેટલો નફો થઈ રહ્યો છે. પરંતુ અભિનેતાને સત્યની જાણ થતાં જ તેણે કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હવે આઈપીસીની કલમ ૩૪, ૪૦૬, ૪૬૫, ૪૦૯ અને ૪૨૦ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, અમર ઉપાધ્યાય મનોરંજન ઉદ્યોગનું જાણીતું નામ છે. તેણે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’,’કલશ’, ‘દેશ મેં નિકલ્લા હોગા ચાંદ’, ‘કસૌટી જિંદગી કે’ જેવા શોમાં કામ કર્યું છે.