અમરેલી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક અને પા‹કગ સમસ્યાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. હાલમાં ભીડભંજન રોડથી હીરામોતી ચોક સુધીનો રસ્તાનું રીપેરીંગ થઈ રહ્યું છે. તેમાં પણ યોગ્ય બેરીકેટ ન મુકવાના કારણે મોટા વાહનો પણ તેમાં ઘૂસી જાય છે. આ ઉપરાંત શહેરનાં મુખ્ય માર્ગો પર આડેધડ પા‹કગ અને લારીવાળાઓના કારણે ટ્રાફિક ખૂબ જ થાય છે. હાલમાં રોડ-રસ્તાઓના રીપેરીંગના કારણે એસ.ટી.ના ઘણા રૂટ શહેરની અંદરથી ડાયવર્ટ કરેલા હોય, આડેધડ પા‹કગનાં કારણે એસ.ટી. બસ, એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે. શહેરના મુખ્ય રસ્તા પર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે તેવી શહેરીજનોમાંથી માંગ ઉઠી છે.