અમરેલીમાં આવેલ શ્રીમતી એસ. એચ ગજેરા અંગ્રેજી માધ્યમ અને શ્રીમતી સી.વી. ગજેરા ગુજરાતી માધ્યમનું ધો.૧૦ અને ધો. ૧રનું અભુતપૂર્વ પરિણામ આવ્યું છે. જેમાં એ વન ગ્રેડ ધરાવતા રર, એ ટુ ગ્રેડ ધરાવતા પ૯ વિદ્યાર્થીઓ તેમજ ર વિદ્યાર્થીઓએ રાજ્યમાં ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. અંગ્રેજી માધ્યમનું ૯૮.૯પ ટકા પરિણામ મેળવી અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, આ સંસ્થાની સ્થાપના સમયે ડો. જીવરાજ મહેતાએ જે શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું સપનું જાયું હતું તે સાકાર કરવા માટે સંસ્થામાં આધુનિક ટેકનોલોજી સાથે તમામ સુવિધાઓ આપવામાં કોઈ કચાશ બાકી રાખી નથી. સાથે સાથે મહેનતુ શિક્ષકોની ટીમ દ્વારા શરૂઆતથી જ બેસ્ટ ટીચીંગ મેથડ દ્વારા શિક્ષણ સાથે સંસ્કાર અને પ્રેકટીકલ નોલેજથી શ્રેષ્ઠ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે. સંસ્થા તરફથી એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને સો ટકા ફી માફી તેમજ એ ટુ ગ્રેડ વાળાને પણ પ્રોત્સાહન સ્કોલરશીપ સંસ્થા તરફથી આપવામાં આવી રહી છે.
એ વન અને એ ટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને સંસ્થા મેનેજમેન્ટ દ્વારા મોં મીઠા કરાવી પુષ્પગુચ્છ સાથે સન્માન કરવામાં આવ્યું અને નાગનાથ મહાદેવના આશીર્વાદ લઈ તમામ વિદ્યાર્થીઓને એસએસસી બોર્ડના પરિણામમાં ઝળહળતી સફળતા મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, કેમ્પસ ડાયરેકટર વસંતભાઈ પેથાણી, પ્રિન્સીપાલ તેમજ સર્વ સ્ટાફગણે ખુબ ખુબ અભિનંદન પાઠવવા સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
ધો.૧૦ અને ૧ર માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન અને સાથે ધો.૧૦ માં એ ૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ધો. ૧૧ સાયન્સ, કોમર્સ અને આટ્ર્સમાં ૧૦૦ ટકા ફી માફી આપવામાં આવશેઃ વસંતભાઈ ગજેરા પ્રમુખ