અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે ૭૬મા પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરુઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય કરીને શાળાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વ્યસન મુક્તિ, મોબાઈલના વધુ ઉપયોગથી થતું નુકસાન, યોગના ફાયદા વગેરેના માધ્યમથી ખૂબ જ લોકોપયોગી સંદેશ આપ્યો હતો. સાથે આ વર્ષે જન્મેલ દીકરીઓને પ્રમાણપત્ર તથા ગામની ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ ગણપતભાઇ સેંજલિયા, પંચાયતના સભ્યો, ગ્રામજનો, સ્કૂલ સ્ટાફ તથા બાળકો ઉપસ્થિત રહ્યાં હતા અને બધાએ ગામને સ્વચ્છ રાખવાના સામૂહિક શપથ લીધા હતા.