દિવાળીના તહેવારમાં અમરેલી જિલ્લા સ.ખ.વે.સંઘ લી. દ્વારા નહીં નફો – નહીં નુકસાનના ધોરણે શિવાકાશીની પ્રખ્યાત કંપનીઓના સારી ક્વોલિટીના ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે. અમરેલી જિલ્લા સ.ખ.વે.સંઘ લી. ફટાકડાનો સ્ટોલ ઘણા વર્ષોથી દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન દ્વારા વિતરણ વ્યવસ્થા કરે છે. આ ઉદ્‌ઘાટન પ્રસંગે સંઘના ચેરમેન જયંતિભાઈ પાનસુરીયા, અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનિષભાઈ સંઘાણી, અમરેલી નાગરિક બેંકના ચેરમેન જયેશભાઈ નાકરાણી, જિ.સ.ખ.વે.સંઘના ઉપપ્રમુખ દિપકભાઈ માલાણી, હિરજીભાઈ નારોલા, જિલ્લા બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, બેંકના ડિરેક્ટર પીયુષભાઈ શુકલ, બેંકના એમ.ડી. કોઠિયા, અમરેલી શહેર ભાજપના પ્રમુખ ભાવેશભાઈ સોઢા, ઋજુલભાઈ ગોંડલીયા હાજર રહેલ હતા. તમામ મહાનુભાવોને સંઘના મેનેજર સુરેશભાઈ સંઘાણી અને જિલ્લા સંઘના ફટાકડા વિભાગના સ્ટાફે આવકારેલ અને ફટાકડાનો સ્ટોલ ખુલ્લો મુકવામાં આવેલ હતો.