અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિયુક્ત પ્રમુખ તરીકે જામનગરના ઉદ્યોગપતિ જીતુભાઈ લાલની તેમની ટીમ સાથે વરણી થતા રઘુવંશી સમાજે આ વરણીને આવકારી છે. આ વરણીને આવકારવા માટે અમરેલી જિલ્લાના તમામ લોહાણા મહાજનો તથા રઘુવંશીઓ આવતીકાલ તા.ર૯ને રવિવારના રોજ બપોરે ૩ઃ૩૦ કલાકે વીરપુર ખાતે યોજાનાર મહાસંમેલનમાં હાજરી આપવા માટે અમરેલી જિલ્લા લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ ગોળવાળાએ સમાજના લોકોને હાકલ કરી છે. નવનિયુક્ત પ્રમુખ જીતુભાઈ લાલની વરણીને જિલ્લા લોહાણા સમાજે આવકારી છે.