અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાને બદનામ કરવા મામલે પત્ર વાયરલ કર્યા બાદ ભાજપના પૂર્વ હોદ્દેદાર મનિષ વઘાસીયા, પાયલ ગોટી સહિત ૪ ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસે આ મુદ્દો ઉછાળ્યા બાદ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. ત્યારે પાટીદાર સમાજના આગેવાનો વસંતભાઈ મોવલીયા, સુરેશભાઈ દેસાઈ, પ્રમુખ દિનેશભાઈ ભુવા, ભરતભાઈ કાનાબાર, શૈલેષભાઈ સંઘાણી, ચેરમેન પી.પી.સોજીત્રા સહિતના આગેવાનોએ દિલીપભાઈ સંઘાણીને મળી પીડિત દીકરીના ભવિષ્ય માટે સહકારી ક્ષેત્રમાં નોકરી આપવા માટે રજૂઆત કરી હતી.
સમાજના આગેવાનોની લાગણીને ધ્યાનમાં લઈ દિલીપભાઈ સંઘાણીએ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બોર્ડ મિટિંગમાં આ વિચાર રજૂ કર્યો હતો અને ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં જેલમાંથી મુકિત બાદ પીડિત દીકરી ઈચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં કાયમી નોકરી કરી શકશે. દિલીપભાઈ સંઘાણીના વિચારને બેંકના તમામ ડિરેકટરોએ વધાવ્યો હતો.