અમરેલી જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા CCTV કેમેરા લગાવવા બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તા. ૦૮ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી અમલી આ હુકમ હેઠળ જિલ્લાની તમામ હોટલ, ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ, બેન્કો, ATM, મલ્ટીપ્લેક્સ, આંગડિયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, પેટ્રોલ પંપ અને ટોલ પ્લાઝા સહિતના સ્થળોએ CCTV કેમેરા ફરજિયાતપણે લગાવવાના રહેશે. કેમેરા નાઈટ વિઝન અને હાઈડેફિનેશન હોવા જોઈએ અને વાહન નંબર તેમજ વ્યક્તિઓની સ્પષ્ટ ઓળખ થઈ શકે તે રીતે ગોઠવવાના રહેશે. ૩૦ દિવસ સુધીનો ડેટા સંગ્રહ કરવાની જવાબદારી સંચાલકની રહેશે. આ નિયમોનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.