અમરેલીના સાવરકુંડલા રોડ સ્થિત માર્કેટિંગ યાર્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અંતર્ગત એ.આર.ટી.ઓ. અમરેલી અને ૧૦૮ ટીમ અમરેલી વિભાગ દ્વારા રોડ સેફટીને લઈને
જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને વાહનધારકોને અકસ્માત નિવારવા રોડ સેફ્‌ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ ખાતે ૨૦૦ થી વધુ વાહનોમાં વિનામૂલ્યે રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી. વાહન ચલાવતી વખતે સીટ-બેલ્ટ બાંધવા, હેલ્મેટ પહેરવું, ડ્રાઈવીંગ શરુ હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવો, રોંગ સાઇડ વાહન ન ચલાવવા, ઓવરસ્પીડ ન કરવી તથા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.