અમરેલી જિલ્લામાંથી વધુ બે સગીરાનું બદકામના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. વડીયાના હનુમાન ખીજડીયા ગામે રહેતી સગીરાની માતાએ જેતપુરના રેશમડી ગાલોલના સુજલભાઈ રમેશભાઈ વેગડા તથા પ્રતાપભાઈ જગદીશભાઈ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની દીકરીને સુજલ વેગડા લલચાવી ફોસલાવી બદકામના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો. વડીયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ ડી.ડી. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.ખાંભાના વાંગધ્રા ગામે રહેતી સગીરાની માતાએ રાજુલામાં રહેતા વનરાજ ઉર્ફે લાલજીભાઈ બાબરીયા સામે તેમની સગીર પુત્રીને લગ્ન-બદકામના ઈરાદે અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ધારી પોલીસ સ્ટેશનના સર્કલ પીઆઈ કે.વી. ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.