રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી રપ૦૦૦ જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવા માટે તૈયારી શિક્ષણ વિભાગે હાથ ધરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ટેટ પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઇન શાળાની પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવી છે. જયારે અમરેલી પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ જિલ્લામાં ૮૦૦થી વધુ પ્રાથમિક શિક્ષકોની ઘટ છે. રાજય સરકાર શાળાને પ્રોત્સાહન મળે તે માટે શાળા પ્રવેશોત્સવ જેવા તાયફાઓ કરે છે પરંતુ શાળામાં બાળકોની સંખ્યા વધી છે તો શાળામાં બાળકોને ભણાવનારા શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. રાજય સરકાર બાળકોના શિક્ષણ પાછળ અનેક યોજનાઓ બહાર પાડી રહી છે પરંતુ બાળકોને ભણાવનારા શિક્ષકોની જ ઘટ હોય તો બાળકો કઈ રીતે ભણી શકશે તેવો સવાલ વાલીઓએ ઉઠાવ્યો છે. રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી શાળાના બિલ્ડીંગ અદ્યતન બનાવવામાં આવી રહ્યાં છે પરંતુ શિક્ષકોની ભરતી કરવામાં રાજય સરકાર ઢીલી નીતિ વાપરતી હોવાથી બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. શિક્ષકોની ઘટને કારણે ઘણીવાર બે ક્લાસ ભેગા કરવા પડે તેવી Âસ્થતિનું નિર્માણ થવા પામ્યું છે. ગામના સરપંચો દ્વારા બાળકોના અભ્યાસને લઈ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ રાજય સરકાર શિક્ષકોની ભરતી કરવામાં ઢીલી નીતિ અપનાવી રહી છે. થોડા દિવસ પહેલા ખાંભામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો જારદાર વિરોધ કરવામાં આવ્યો હતો. વાલીઓએ રોષ સાથે જણાવ્યું હતું કે, શાળામાં શિક્ષકોની ભરતી થતી ન હોવાથી ઉગ્ર વિરોધ કર્યો હતો. જેથી તંત્રએ પોલીસ પ્રોટેકશન સાથે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવાની ફરજ પડી હતી.
જિલ્લામાં ૮૦૦ની ઘટ સામે માત્ર ર૪૦ની ભરતી થશે
અમરેલી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ કચેરીમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં ૮૦૦થી વધુ પ્રાથમિક શિક્ષકોની ઘટ છે. જા કે ર૪૦ શિક્ષકોની જ ભરતી કરવામાં આવી છે. જયારે હજી ૬૦૦ શિક્ષકોની ઘટ છે તેની કયારે ભરતી કરવામાં આવશે તેની કોઈ જ માહિતી મળી નથી. આમ, રાજયના શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ર૪૦ શિક્ષકોની ભરતી કરવામાં આવતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.
ખાલી જગ્યામાં જ્ઞાન સહાયકોની ભરતી થશે: પ્રફુલ પાનશેરીયા
રાજયના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ‘સંજાગ ન્યૂઝ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજયમાં રપ૦૦૦ જેટલી શિક્ષકોની ઘટ છે. રાજય સરકાર તમામ ખાલી જગ્યાઓ ભરવા માટે કટીબધ્ધ છે. કચ્છમાં જ રપ૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. જા કે અમરેલી જિલ્લામાં ૮૦૦ શિક્ષકોની ઘટ સામે માત્ર ર૪૦ શિક્ષકો જ ભરવામાં આવનાર છે આ સવાલના જવાબમાં પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, જે જગ્યાઓ ખાલી પડેલી છે ત્યાં જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે જેથી બાળકોના અભ્યાસ પર કોઈ જ અસર નહી થાય અને હજુ ભરતી પ્રકિયા એક મહિના સુધી ચાલવાની છે તેમ અંતમાં જણાવ્યું હતું.









































