અમરેલી લોકસભાનું આજે મતદાન થવા જઈ રહ્યુ છે ત્યારે અમરેલી જિલ્લાના દિગ્ગજ આગેવાનો પોતાના વતનમાં મતદાન કરશે. જેમાં કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા ઈશ્વરીયા પ્રા.શાળા ખાતે સવારે ૭ કલાકે મતદાન કરશે તો ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી માળીલા પ્રા.શાળા ખાતે સવારે ૯ઃ૦૦ કલાકે મતદાન કરશે. સાંસદ નારણભાઈ કાછડીયા પણ પોતાના વતનમાં મતદાન કરશે જયારે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દેવરાજીયા ખાતે સવારે મતદાન કરશે અને અશ્વિનભાઈ સાવલીયા સવારે ૮ઃ૦૦ કલાકે પ્રતાપપરા પ્રા.શાળા ખાતે મતદાન કરશે.
ભાજપ તરફી મતદાન કરવા કૌશિક વેકરીયાની અપીલ
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી લોકસભાના તમામ મતદાર ભાઈ-બહેનોને અપીલ કરતા જણાવ્યું હતું કે “આજરોજ તમામ મતદાર ભાઈ-બહેનો ભાજપ તરફી મતદાન કરી અમરેલી લોકસભામાંથી ભરતભાઈ સુતરીયાને જંગી લીડથી ચૂંટી કાઢે અને નરેન્દ્રભાઈ મોદીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા અમરેલીમાંથી એક કમળ દિલ્હી મોકલે.”