ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તા.૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા નિર્મિત ધર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. અમરેલીના જેસીંગપરા વિસ્તારના શિવાજી ચોક ખાતે ૧૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભથી નાગરિકોની આરોગ્ય સેવાઓમાં વધારો થશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સંતો-મહંતો, રાજદ્વારી મહાનુભાવઓ સહિતના પદાધિકારી-અધિકારીઓ, ભક્તગણ, નાગરિકો સહિતના ઉપસ્થિત રહેશે.