અમરેલીમાં શ્રી ગદ્ય સાહિત્ય સમારંભ સહીત ત્રિવિધ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અનેક એવોર્ડથી સન્માનિત વર્ષાબેન નરેન્દ્રભાઈ ખખ્ખર (ધામેચા)નું ગુજરાતનાં ઉજળી પ્રતિભા તરીકે સન્માન થયેલ. જેમાં સુધીરભાઈ મહેતા દ્વારા લિખિત પુસ્તક “ઉજળી પ્રતિભાઓ”માં સાવરકુંડલાની એસ. વી. દોશી. ગર્લ્સ હાઇસ્કુલ અને એ. કે. ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલનાં પૂર્વ પ્રિન્સિપાલ વર્ષાબેન ખખ્ખરનાં જીવન વિશે જણાવવામાં આવેલ છે. આ અવસરે સંતો, મહંતો, લેખકો, અધિકારીઓ અને પત્રકારોએ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં હોસ્ટેલની (શાળાની) તમામ દીકરીઓ ઉપસ્થિત રહેલ.