અમરેલીના રાજકમલ ચોકમાં મહિલા ઉત્થાન મંડળ દ્વારા ‘હર ઘર તુલસી ઘર ઘર તુલસી’ના ઉદ્દેશ્ય સાથે તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તુલસીના રોપા સાથે દરેકને તુલસીના ઔષધિય ગુણો અને ઉપયોગો વિષેની માહિતી પત્રિકા અને “ ઋષિ પ્રસાદ“ તથા “ લોક કલ્યાણ સેતુ “ સાહિત્ય પણ ભેટ સ્વરૂપ આપવામાં આવ્યુ હતું. દરેક સમાજના લોકોએ તુલસીના રોપા મેળવી ધન્યતા અનુભવી હતી. આયુર્વેદમાં અને ભારતીય સંસ્કૃતિમાં તુલસી અને ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ઔષધિય ક્ષેત્રે ગાય અને તુલસીની મહત્તા સર્વશ્રેષ્ઠ છે. જન સામાન્ય સુધી તુલસી અને તેના ઔષધિય ઉપયોગોની માહિતી પહોચી શકે એવા ઉદ્દેશ સાથે મહિલા ઉત્થાન મંડળ દ્વારા ઈ.સ. ૨૦૧૪ થી “વૃન્દા અભિયાન “ ની શરુઆત કરવામાં આવી હતી.