અખાત્રીજ એટલે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીનો પ્રાગટય દિવસ. આ શુભ દિવસે અમરેલી શહેરમાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સવારે પરશુરામ ભગવાનનું પૂજન અને આરતી બાદ સાંજના પાંચ કલાકે નાગનાથ મંદિરેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો જાડાયા હતા. શોભાયાત્રા ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ શોભાયાત્રાના રૂટ પર વિવિધ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જયાં શરબત, ઠંડુ પાણી અને છાશનું વિતરણ કરવામા આવ્યું હતું. આ શોભાયાત્રામાં બ્રહ્મ પરિવારોની સાથે વિવિધ સમાજના લોકો પણ જાડાયા હતા. શોભાયાત્રામાં લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા, જેનીબેન ઠુમ્મર, મુકેશભાઈ સંઘાણી સહિત રાજકીય અને સામાજિક આગેવાનો જાડાયા હતા. સમગ્ર શહેર ‘જય પરશુરામ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. પરશુરામ ધામ ખાતે યોજાયેલી મહાઆરતીમાં ભાવિકો જાડાયા હતા.