અમરેલી શહેરમાં રહેતી એક મહિલાએ બીમારીથી કંટાળી ઝેરી દવા પીતાં મોત થયું હતું. બનાવ અંગે જયંતીભાઈ મોહનભાઈ ચલોડીયા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની ભગવતીબેન (ઉ.વ.૩૮)ને સાત વર્ષ પહેલા ડિલિવરી થઈ હતી. જે બાદ તેમને લો બીપી, માથાના દુઃખાવાની તેમજ ચક્કર આવવાની બીમારી થઈ હતી. જેનાથી કંટાળી ગયા હતા અને ઝેરી દવા પી લીધી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી.ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલાના વિજપડી ગામે પાંચાબાપુ (સાધુ) છેલ્લા ૨૫ વર્ષથી ભટકતું જીવન ગુજારતા હતા. તેમના પરિવારની કોઈ ભાળ ન હોવાથી તેઓ બીમાર પડતાં ગામના સેવાભાવી વ્યક્તિએ દાખલ કરાવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.