અમરેલી વિસ્તારમાં બાવનગામ કડવા પાટીદાર સમાજનો આજે ૧૦મો સમૂહલગ્ન યોજાશે. લગ્ન સમિતિઓ તેમજ મતિરાળા ગામ કડવા પાટીદાર સમાજ તથા સહયોગી સંસ્થાઓ સિદ્ધિવિનાયક સેવા મંડળ, જીવનદીપ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત મતિરાળા ક્રિએટીવ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમમાં ૨૮ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે.