અમરેલીમાં મોઢ વણિક મહાજન વાડી ખાતે મોઢ વણિક કોમ્યુનિટી પ્રોપર્ટી, સુદર્શન નેત્રાલય અને પારેખ રણછોડદાસ દેવચંદ વિદ્યાર્થી ગૃહના સંયુક્ત ઉપક્રમે
ગુરુવારે નવમો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો ૪૦ દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે જ્ઞાતિ પ્રમુખ દિલીપભાઇ પરીખ, રાજુભાઇ પરીખ, ડો. રવિ પરમાર, સંજયભાઈ પરીખ, કિર્તીભાઇ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.