અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે સામાજિક કાર્યકર ભરતભાઈ કાતરિયાની આગેવાની હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓ માટે અંત્યોદય રેશનકાર્ડ જારી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત માટે દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના વિજયસિંહ પરમાર અને ભાવનાબેન ટાંક, તેમજ મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના અલ્કાબેન વસાણી અને મુનાભાઈ રાઠોડ સહિતના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પ્રતિનિધિમંડળે કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી કે દિવ્યાંગ વ્યક્તિઓને અંત્યોદય રેશનકાર્ડ આપવામાં આવે, જેથી તેમને જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી અને વાજબી ભાવે મળી શકે. તેમણે માંગ કરી હતી કે આ મુદ્દાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે.