અમરેલીમાં પુરુષને કામ ધંધો ન મળતાં ઝેરી દવા પી લેતા મોત થયું હતું. આ અંગે ઈરફાન રજાકભાઈ મજીઠીયા (ઉ.વ.૩૯)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા રજાકભાઈ દાઉદભાઈ મજીઠીયા (ઉ.વ.૬૩)ને છેલ્લા એક મહિનાથી કોઈ કામ ધંધો મળતો નહોતો. જેથી ખુબ જ ટેન્શનમાં રહેતા હતા. પોતાની મેળે ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી લીધા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન. બી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.
મોણપુર ગામે બીમારીથી કંટાળી એસિડ પીનારી પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત થયું હતું.