અયોધ્યામાં નવનિર્મિત ભગવાન શ્રી રામ મંદીરને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં બનેલા રામ મંદીરને એક વર્ષ પૂર્ણ થવા પર રામભકતો અને હિંદુ સમાજમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે. સમગ્ર દેશમાં અયોધ્યામાં બનેલા રામ મંદીરની ઉજવણી કરવા તૈયારીઓ થઈ રહી છે ત્યારે અમરેલીમાં આજ તા.રર/૦૧નાં રોજ વિશ્વ હિંદુ પરીષદ અને બજરંગદળ પ્રેરીત મહાદેવ ઠાકર અને મિત્રો દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં એક વર્ષની ઉજવણીનાં ભાગરૂપે બાઈકરેલીનું આયોજન કરેલ છે. બાઈક રેલીનું પ્રસ્થાન સ્થળ શિવાજી ચોકથી રામજી મંદીર સુધી રહેશે. બપોરનાં ૩ઃ૩૦ કલાકે યોજાનારી આ બાઈક રેલીમાં જોડાવવા માટે વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગદળ દ્વારા રામભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.