અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મતદાન જાગૃતિનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. જેમાં બગસરામાં વેપારીઓ દ્વારા વસ્તુઓ પર ‘ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ’ સ્ટીકર્સ લગાડવામાં આવ્યા. વેપારીઓએ વસ્તુઓના વેચાણ સાથે નાગરિકોને મતાધિકારનો સંદેશ આપી મતદાન જાગૃતિ અભિયાનમાં પોતાનું યોગદાન નોંધાવ્યું હતું. ખાંભામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જ્યારે બાબરામાં પણ તાલુકા પંચાયત, બાબરા બસ સ્ટેશન અને નાગરિકોની અવરજવર વધુ રહેતી હોય તેવા વિસ્તારોમાં અચૂક મતદાન કરવા માટેનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.