અમરેલીના પાણી દરવાજા વિસ્તારમાં આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિરના સ્વામી પૂ.ભÂક્તસંભવદાસજીની પ્રેરણાથી મંદિરે છાસ વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. મંદિરના કોઠારી ગોપાલમુનિદાસજી સ્વામી તથા પૂ.શુક સ્વામી, હરીસ્વરૂપ સ્વામી વગેરે સંતો અને રાજેશભાઈ માંગરોળીયાની ઉપસ્થતિમાં છાસ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો અનેક લોકો લાભ લઈ રહ્યા છે. આ છાસ વિતરણ એક મહિના સુધી ચાલશે અને નિત્ય સવારે ૭.૩૦ વાગ્યે છાસ વિતરણ કરવામાં આવશે.