ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે તરવડા ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસની ઉજવણી કરી. જેમાં ૧૫૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી શિક્ષક પ્રત્યેની આદરભાવના દ્રઢ કરી હતી. આ પ્રસંગે અભિવાદન સભામાં પૂ. રામકૃષ્ણદાસજી સ્વામી દ્વારા શિક્ષકનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું એવં આદર્શ શિક્ષક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.