અમરેલી, તા.૧પ
ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના અધ્યક્ષ સ્થાને રાજકોટ ખાતે બોર્ડના ઝોન -૬ ના તમામ યોગ ગુરૂઓનો સ્નેહમિલન કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરના હોલમાં યોજાયો હતો. જેમાં અમરેલીની યોગ પાઠશાળા હરિવિહાર આંગણવાડીના શ્રેષ્ઠ યોગ ટ્રેનર પ્રિયંકાબેનનું મેમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ રેગ્યુલર અમરેલી શહેરના મોટાભાગના વિસ્તારમાંથી સવારે ૨૪ અને સાંજે ૩૫ બહેનોને રોજ નવી નવી એકસરસાઈઝ અને યોગ શિખવાડે છે. ચાલુ વરસાદે પણ યોગ માટે બહેનો આવે અને વરસાદની પરવાહ વગર પણ યોગ કલાસ ચાલુ હોય છે. તેઓ હિમાચલના વતની હોવા છતાં ગુજરાતી ભાષામાં યોગ શીખવાડે છે. આવી ઉત્કૃષ્ઠ સેવાઓને ધ્યાને લઈ તેમને સન્માનિત કરાયા હતા.