પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે, અમરાપરા ગામમાં સીતારામ ધૂન મંડળ દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવે છે. મંડળના પ્રમુખ ધીરુભાઈ સતાણીના નેતૃત્વમાં, શ્રાવણ માસ દરમિયાન મંડળના સભ્યો અમરાપરાની દરેક શેરીમાં ફરીને ધૂન અને કીર્તન કરે છે. આ દરમિયાન તેઓ કબૂતરા માટે ચણ એકઠી કરી આખા વર્ષ દરમિયાન ચબૂતરે નાખવામાં આવે છે. એકઠા કરેલા ફાળાનો ઉપયોગ વિવિધ સેવાકીય કાર્યો માટે કરવામાં આવે છે. મંડળ દ્વારા અમરાપરા રામજી મંદિર, શિવ મંદિર, ખોડિયાર મંદિર, ગેબી વિસામો અને તાપડિયા આશ્રમ જેવા સ્થાનિક મંદિરોને દાન આપવામાં આવે છે. મંડળના અન્ય મુખ્ય સભ્યો બાબુભાઈ ભારદીયા અને મુકેશભાઈ ખોખરીયા છે. તેમની આખી ટીમ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે.