ગુજરાતના અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. ગુરુવારે, એર ઇન્ડિયાનું બી-૭૮૭ ડ્રીમલાઇનર વિમાન, જે ફ્લાઇટ છૈં-૧૭૧ તરીકે અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહ્યું હતું, તે મેઘાણી નગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. તમને જણાવી દઈએ કે બીજે મેડિકલ કોલેજ મેઘાણી નગર વિસ્તારમાં છે. આ વિમાન ટેકઓફ થયાના ૫ મિનિટ પછી આ મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડીંગ પર પડ્યું હતું. હોસ્ટેલની ઉપર એક કેન્ટીન છે, જ્યાં બપોરે મેડિકલ વિદ્યાર્થીઓ લંચ કરવા આવે છે. આ અકસ્માતમાં ૨૦ વિદ્યાર્થીઓના મોતની શક્યતા છે. જાકે, હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડેલા એર ઈન્ડિયાના વિમાનના ફોટા પણ સામે આવ્યા છે. ફોટામાં જાઈ શકાય છે કે વિમાનનો પાછળનો ભાગ હોસ્ટેલ બિલ્ડીંગથી લટકતો છે. તે જ સમયે, આગળનો ભાગ સંપૂર્ણપણે બળી ગયો છે, જેના કારણે ધુમાડો નીકળતો જાવા મળી રહ્યો છે. હાલમાં, દ્ગડ્ઢઇહ્લ ની ત્રણ ટીમો ઘટનાસ્થળે બચાવ કામગીરી ચલાવી રહી છે. આ ઉપરાંત, વડોદરાથી એનડીઆરએફની બે ટીમો અમદાવાદ જવા રવાના થઈ ગઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. ઘાયલોને ત્યાં દાખલ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર ઘટનાસ્થળે હાજર છે.
ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ઘટનાસ્થળે હાજર છે. અકસ્માત પછી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ઝાડ સાથે અથડાયા પછી વિમાન ક્રેશ થયું, ત્યારબાદ તરત જ જારદાર વિસ્ફોટ થયો અને વિમાન આગની લપેટમાં આવી ગયું. આખું વિમાન બળીને રાખ થઈ ગયું છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જાઈ શકાય છે. આખા વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો છે.
અકસ્માત બાદ, ઘાયલોને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સને અવરજવર માટે ખુલ્લી રાખવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલો સ્થાનિક છે. જાકે, વિમાનમાં સવાર કોઈપણ મુસાફરો વિશે કોઈ માહિતી મળી નથી.
આ ઘટના બાદ, અમદાવાદની આસપાસની તમામ હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓ સક્રિય કરવામાં આવી છે. મુસાફરોને અકસ્માત સ્થળેથી હોસ્પિટલ લઈ જવા માટે ૫ મોટી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ અકસ્માત અંગે માહિતી આપતાં એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે અમદાવાદ-લંડન ગેટવિક ફ્લાઇટ નંબર છૈં૧૭૧ ક્રેશ થઈ ગઈ છે. અમે ઘટના અંગે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ.
એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટથી રનવે ૨૩ પરથી બપોરે ૧ઃ૩૯ વાગ્યે ઉડાન ભર્યા પછી તરત જ એરપોર્ટ છોડતાની સાથે જ જમીન પર પડી ગયું. ફ્લાઇટ ટેક ઓફ થતાંની સાથે જ પાયલોટે એટીસીને મેડે-મેડે કોલ આપ્યો, પરંતુ આ પછી વિમાન સાથે કોઈ વધુ સંપર્ક થયો નહીં. વિમાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા, જેમાં ૨ પાઇલટ, ૧૦ ક્રૂ સભ્યો અને ૨૩૦ મુસાફરોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી તેમના વિશે કોઈ માહિતી મળી નથી.