મેનેજમેન્ટ ક્વોટા હેઠળ પ્રવેશ મેળવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના ગુજરાત સરકારના પરિપત્રને લઈને હોબાળો મચી ગયો છે. આજે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ પોતાની જ સરકારના આ નિર્ણય સામે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે સેંકડો વાહનચાલકો અટવાઈ ગયા હતા.
એબીવીપીનું કહેવું છે કે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પર પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને પણ સરકારી બેઠકો પર પ્રવેશ લેતા એસટી વિદ્યાર્થીઓની જેમ શિષ્યવૃત્તિ મળતી હતી, પરંતુ મોટી સંખ્યામાં એસટી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ મેળવવાની આશામાં મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ લીધો હતો અને હવે તેમને શિષ્યવૃત્તિ ન આપવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેના કારણે આવી બેઠકો પર પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવે છે. જા તેમને શિષ્યવૃત્તિ નહીં મળે તો તેઓ આગળ અભ્યાસ કરી શકશે નહીં. તેથી, સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ માટે શિષ્યવૃત્તિ ન આપવાનો નિર્ણય પાછો ખેંચવો જાઈએ.
આ સાથે,એબીવીપીએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ રાજ્યની ૨૮ સહાયિત કાયદા કોલેજામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ધોરણો મુજબ, માન્ય કાયદા કોલેજામાં ફેકલ્ટી સભ્યોના અભાવે આ કોલેજાની માન્યતા રદ કરવામાં આવી છે. ગયા વર્ષે પણ કાયદા કોલેજામાં પ્રવેશ અંગે સમસ્યા હતી. ત્યારે પણ એબીવીપીને વિરોધ કરવો પડ્યો હતો.
એબીવીપીએ માગ કરી હતી કે, ગ્રાન્ટેડ કોલેજામાં અધ્યાપકોની ધારાધોરણ પ્રમાણે ભરતી કરવામાં આવે અને આ તમામ કોલેજાને મળતી ગ્રાન્ટમાં સરકાર વધારો કરે તેમજ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રવેશ કાર્યવાહી ફરી શરૂ કરે. જેથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે. જા સરકાર આ બંને બાબતો પર ધ્યાન નહીં આપે તો એબીવીપી આનાથી પણ વધારે ઉગ્ર અને રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે.
દરમિયાન, એબીવીપી કાર્યકરો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એબીવીપી કાર્યકરોને હટાવતી વખતે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી અને ધક્કામુક્કી થઈ હતી. પોલીસે ઘણા કાર્યકરોની અટકાયત કરી, ત્યારબાદ વાહનોની અવરજવર ફરી શરૂ થઈ.