બોલીવુડના જાણીતા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ એકવાર ફરીથી પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેમણે બ્રાહ્મણ સમાજ વિશે એક એવું નિવેદન આપી દીધુ ત્યારબાદ લોકોનો ગુસ્સો ભડક્યો. વિવાદ અને લોકોનો આક્રોશ જાતા આખરે તેમણે માફી માંગવી પડી. આ વિવાદ એ સમયે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર તેમની એક કમેન્ટ ખુબ વાયરલ થઈ ગઈ. જેમાં તેમણે બ્રાહ્મણો વિશે ભદ્દી કમેન્ટ કરી હતી.
આ તમામ વિવાદ ફિલ્મ ફૂલે ના ટ્રેલર બાદ શરૂ થયો. ફિલ્મ સમાજ સુધારક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત છે. જેમાં પ્રતિક ગાંધી અને પત્રલેખા લીડ ભૂમિકામાં છે. આ ફિલ્મ વિશે છેડાયેલા ચર્ચામાં અનુરાગ કશ્યપે બ્રાહ્મણો વિશે કઈક એવું કહી દીધુ કે લોકો ભડકી ગયા. શુક્રવારે અનુરાગ કશ્યપે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી નોટ શેર કરતા પોતાની સફાઈ રજૂ કરી. તેમણે કહ્યું કે જે ણ ગુસ્સો છે તે તેમના પર કાઢવામાં આવે, તેમના પરિવાર પર નહીં.
તેમણે વધુમાં લખ્યું કે બ્રાહ્મણ સમાજની મહિલાઓને છોડી દો, આટલું તો આપણા ધર્મગ્રંથોમાં પણ લખ્યું છે. તમે મનુસ્મૃતિમાં માનો કે ન માનો. માણસાઈ બધા કરતા ઉપર હોવી જાઈએ. જા કે તેમની આ માફી અંગે પણ કેટલાક લોકોમાં ગુસ્સો જાવા મળી રહ્યો છે. વાત જાણે એમ છે કે અનુરાગ કશ્યપે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ધડક ૨ના સ્ક્રીનિંગનો ઉલ્લેખ કરતા કહ્યું કે સેન્સર બોર્ડનું માનવું છે કે હવે દેશમાં જાતિવાદ ખતમ થઈ ગયો છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે તો પછી કેટલાક લોકોને ફૂલે દંપત્તિથી સમસ્યા કેમ થઈ રહી છે.
તેમની આ પોસ્ટમાં એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું હતું કે બ્રાહ્મણ તમારા બાપ છે. જેટલા તમે સળગશો એટલા સળગાવીશું. કોઈ પ્રોબ્લમ? આ કમેન્ટ પર અનુરાગે જવાબ આપતા લખ્યું કે બ્રાહ્મણો પર હું પેશાબ કરીશ…કોઈ પ્રોબ્લમ? એટલું જ નહીં તેમણે પોતાની આ કમેન્ટનો સ્ક્રીનશોટ લઈને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો અને ત્યારબાદ આ સમગ્ર હંગામો થયો અને વિવાદ એટલો વધી ગયો કે લોકો તેમની માફી સુદ્ધા કબૂલવા તૈયાર નથી. અનુરાગ કશ્યપ આવા નિવેદનો માટે જાણીતા છે.
હવે ફૂલે ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ ૧૧ એપ્રિલના રોજ થિયેટરમાં આવવાની હતી પરંતુ હવે તે ૨૫ એપ્રિલે રજૂ થશે. સેન્સર બોર્ડે આ ફિલ્મમાં કેટલાક ફેરફારના આદેશ આપ્યા છે. જેને મેકર્સે સ્વીકારી લીધા છે. ફિલ્મના કલાકારો અને નિર્દેશકનું કહેવું છે કે તેમનો હેતુ કોઈ સમુદાયને ઠેસ પહોંચાડવાનો નહતો. પરંતુ તેઓ સામાજિક મુદ્દા પર એક કહાની લઈને આવ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અનંત મહાદેવને કર્યું છે અને ફિલ્મમાં પ્રતીક ગાંધી અને પત્રલેખા ઉપરાંત અન્ય કલાકારો પણ છે.