અમરેલી જિલ્લા ભાજપ લઘુમતિ મોરચાની બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળી હતી જેમાં વકફ સુધારો અધિનિયમ ૨૦૨૫ અંગે ચર્ચા વિચારણા કરીને જિલ્લા કક્ષાની કાર્યશાળા આગામી તારીખ ૨૬ને શનિવારના રોજ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંજના ૫: ૦૦ કલાકે રાખવામા આવેલ છે, લઘુમતી મોરચાની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, વકફ સુધારણા જનજાગૃતિ અભિયાન જીલ્લાના સંયોજક મયુરભાઈ માંજરીયા, સહ સંયોજક રજાકભાઈ કચરા, સાજિદખાન પઠાણ, એ. અમે. નકવી, મહેબુબભાઇ કુરેશી, મહમદકાસીમ નકવી, પર્વતભાઈ રફઈ, અમિતા હોત, સમીરભાઈ કનોજીયા, ઓસમાણભાઈ મહિડા (પિસ્ટન), અજીજભાઈ ગોરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.