કોડીનારના અડવી ગામે સમસ્ત ગ્રામજનોનાં સહયોગથી મહાકાળી માતાજીના નવનિર્મિત મંદિરે ૨૯ એપ્રિલથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે હનુમાનજી, કાલભૈરવ, મહાકાલી માતાનાં ઉપાસક રામકૃષ્ણ પરમહંસની મૂર્તિઓની નગર યાત્રા યોજાઈ હતી. નગરયાત્રા બાદ આ તમામ મૂર્તિઓને મંદિર પટાંગણમાં રાખવામાં આવી છે. જ્યાં શાસ્ત્રી ચેતનભાઈ જાની અને હિતેશભાઈ ભટ્ટએ શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કર્યો છે. ૧લી મેના રોજ મહા આરતી બાદ મંદિર લોક દર્શન માટે ખુલ્લું મુકાશે.