ઘઉંઃ ગાભમારાની ઈયળના તથા લીલી ઇયળનો ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨૦ મિ.લિ. અથવા કીવનાલફોસ ૨૫ ઈ.સી. ૨૦ મિ.લિ. પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
• ગેરૂ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ અથવા ઝાયનેબ દવા ૧૦ લિટર પાણીમાં ૨૫ થી ૩૦ ગ્રામ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડ્યે બીજા છંટકાવ ૧૦ દિવસ બાદ કરવો.
• હજુપણ ઘણા ખેડૂતભાઈઓ ઘઉંનું વાવેતર કરે છે. તેના માટે ખાસ સૂચના કે તેઓ વહેલી પાકતી જાતોનું જ વાવેતર કરે.
• દાણા પર કાળી ટપકીના નિયંત્રણ માટે મેંકોઝેબ અથવા હેક્ઝાકોનેઝોલ અથવા પ્રોપીકોનેઝોલ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
જી. ડબલ્યુ. ૧૭૩: જી. ડબલ્યુ. ૨૭૫ લોક-૧ ના સંકરણ દ્વારા તૈયાર કરેલ. પિયત પરિસ્થિતિમાં મોડી વાવણી માટે ભલામણ કરવામાં આવેલ છે. ઠીંગણી હોવાથી ઢળી પડતી નથી. થડ આછા લીલા રંગનું ખૂબ જ છારીવાળું હોય છે. ઉંબી બુટ્ટી અને ઉપ૨થી ઘટાદાર હોય છે. દાણા મધ્યમ કદના અંબર રંગના ૧૨.૩% પ્રોટીન, ૭૯.૪ કિ.ગ્રા./ હેકટોલિટર વજન અને ૩૮ મિ.લિ. સેન્ડીમેન્ટેશન આંક ધરાવતા ખૂબ જ ચળકાટવાળા અને આકર્ષક છે. મોડી વાવણી માટે ખૂબ જ સાનુકૂળ છે તેમજ વહેલી પાકતી હોવાથી એક પિયત ઓછું જોઈએ છે.
તલઃ તલના પાન કુકડાઈ ન જાય તે માટે તેમાં આવતી જીવાતના નિયંત્રણ માટે ગંધક ૩૦૦ મેષ ભૂકી અથવા ફેનાઝાકવિન ૧૦ મિ.લિ. ૧૦ લિટરમાં ભેળવી છંટકાવ કરવો.
રાઈ:રાઈ પાકમાં મોલો-મશીનાં નિયંત્રણ માટે થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા એસીટામિપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા સ્યાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
રજકોઃ પાન ખાનાર ઈયળના નર ફુદાંને આકર્ષવા ફેરોમોન ટ્રેપ ગોઠવવા
• પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્લોરપાયારીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા ફેનવાલરેટ ૧૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો
ચણા: સ્ટંટ વાયરસ રોગ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે મિથાઈલ – ઓ – ડીમેટોન ૧૨ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી જરુયાત મુજબ છંટકાવ કરવો.
મકાઈ: શંકર જાતો રાસાયણિક ખાતરોને ખુબ જ સારી રીતે પ્રતિભાવ આપતી હોઈ તથા પિયતની ખાતરી હોવાથી શિયાળુ ઋતુ માટે શંકર જાતની જ પસંદગી કરવી જોઈએ જેમાં પીળી મકાઈ માં નીચે દર્શાવેલ પૈકી કોઈ પણ શંકર જાતની પસંદગી કરવી જોઈએ.
જાત ઉત્પાદન ક્ષમતા (ટન/હે) પાકવાની મુદત
એચ કયુ પી એમ ૧ ૬.પ થી ૭ ૧પ૦ દિવસ
કોઈમબ્તુર ૬ ૮ થી ૯ ૧પ૦ દિવસ
એચ એમ ૧૦ ૬.પ થી ૭ ૧૪૦ થી ૧પ૦ દિવસ
એચ એમ ૧૧ પ.પ થી ૬ ૧૪૦ થી ૧પ૦ દિવસ
ડી એચ એમ ૧૧૭ ૭ થી ૭.પ ૧૪૦ થી ૧પ૦ દિવસ

જીરૂ:
• મોલોમશીનો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો. અથવા
• ડીનોકેપ ૪૮ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા ગંધક ૮૦% વેટેબલ પાવડર ૨૫ ગ્રામ અથવા ૩૦૦ મેશનો ગંધક પાવડર હેકટરે ૧૫ થી ૨૦ કિ.ગ્રા. અથવા પ્રોપીકોનેઝોલ અથવા હેકઝાકોનેઝોલ ૧૦ મિ.લિ. છંટકાવ કરવો.
• જીરૂમાં ચરમી રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫% વેટેબલ પાવડર ૨૫ ગ્રામ મુજબ ઓગાળી છંટકાવ કરવો.
ધાણા અને મેથીઃ
• ધાણા અને મેથીના પાક માટે ર૦ કિલોગ્રામ નાઈટ્રોજન વાવેતર બાદ ૪૦ થી ૪પ દિવસે પૂર્તિ ખાતર તરીકે આપવો.
લસણ:
• જો શ્રમયોગીઓની અછત હોય અને નીંદણ વધારે પ્રમાણમાં થતાં હોય ત્યાં સંકલીત નીંદણ નિયંત્રણ માટે નિંદામણનાશક ઓકસીડાયઝોન (ર.૦ લિટર) ૦.પ૦૦ કિ.ગ્રા. સક્રિય તત્વ (બજારમાં મળતી રોનસ્ટાર નામની દવા ૪૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં) અથવા ઓકસીફલુઓરફેન (૧.૦ લિટર) ૦.ર૪૦ કિ.ગ્રા. સક્રિય તત્વ (બજારમાં મળતી ગોલ-ર-ઈ ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં) પ્રમાણે પ૦૦ લિટર પાણીમાં ઓગાળીને પાકની વાવણી બાદ બીજા દિવસે છંટકાવ કરવો સાથે સાથે વાવણી બાદ ૪૦ દિવસે એક વખત હાથથી નિંદામણ કરવાથી નીંદણોનું અર્થક્ષમ અને અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
ડુંગળીનું ધરું ઉછેર:
• સેન્દ્રીય અને રાસાયણિક ખાતર
• એક ગુંઠા ધરૂવાડીયાના વિસ્તાર માટે
• ૫૦ થી ૭૦ કિ.ગ્રા. છાણીયું કે ગળતીયું ખાતર અથવા ૧૦ કિ.ગ્રા. દિવેલીનો ખોળ
• ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન, (એમોનિયમ સલ્ફેટ ૨.૫ કિલો)
• ૫૦૦ ગ્રામ ફોસ્ફરસ (ડીએપી ૧.૦ કિલો) ગાદી કયારા તૈયાર કર્યા બાદ બીજની વાવણી પહેલા પુંખીને પંજેઠી મારી જમીન સાથે ભેળવી દેવું.
• બીજના ઉગાવા બાદ ૧૫ થી ૨૦ દિવસ પછી ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવું.
• ધરૂવાડીયાની જમીનમાં ઝીંક અને લોહ તત્વની ઊણપ જણાતી હોય છે માટે એક ગુંઠામાં ૪૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ, ૨૦૦ ગ્રામ ઝીંક સલ્ફેટ અને ૧૦૦ ગ્રામ બોરેક્ષને જમીન તૈયાર કરતી વખતે પાયામાં આપવું.

વેલાવાળા શાકભાજી: પરવળમાં ઈયળના નિયંત્રણ માટે
• જીવાત મુક્ત વેલાની રોપણી માટે પસંદગી કરવી.
• ઉપદ્રવિત વેલાઓ કાપી લઈ તેને જમીનમાં ઊંડે દાટી નાશ કરવો.
• વેલાની ફરતે કાર્બોફયુરાન ૩ થી ૫ ગ્રામ / વેલા પ્રમાણે રોપણીના ૧૫ દિવસ બાદ આપવી.
• વેલા પર ગુંદરની ગાંઠો ઉખેડી તેના ઉપર થાયોડીકાર્બ ૭૫ વેપા ૫૦૦ ગ્રામ એક લિટર પાણીમાં મિશ્ર કરી પેસ્ટ બનાવી વેલા પર ચોપડવી.
• આ જીવાતનો ઉપદ્રવ નિવારવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી વેલા સારી રીતે ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
• થડને જમીનની સપાટીએથી કાપવું. કાપેલા થડને માટીથી
બરાબર ઢાંકી દેવું.
• ટમેટીમાં આગોતરા સુકારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા લીમડાનાં તાજા પાનનો અર્ક ૫૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.
• કોબીજ / કોલીફલાવરમાં જીવાણુથી થતો કાળો કોહવારો અટકાવવા રોગની શરૂઆત થાય ત્યારે સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧ ગ્રામ કોપર ઓકઝીકલોરાઈડ ૫૦ વે.પા. ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
બાગાયતી પાકોઃ
નાળીયેરીઃ સફેદમાખી (રૂગોજ સ્પાયરેલિંગ વ્હાઈટફ્લાય)
• શરૂઆતમાં પુખ્ત સફેદમાખીની મોંજણી માટે થડ પર પીળા રંગના ચીકણા પિંજર લગાવવા.
• પ્રથમ તબક્કે આ જીવાતના નિયંત્રણ માટે માત્ર પાણી સાથે કોઈ પણ ડીટર્જન્ટ પાઉડર ભેળવી જેટ ગનના દબાણથી પાન તથા થડ ઉપર છંટકાવ કરવો.
• એક્રાર્સિયા નામના પરજીવીથી તેનું કુદરતમાં નિયંત્રણ થતુ હોય છે. જયાં આ જીવાતનો વસ્તી વિસ્ફોટ થાય ત્યાં આવા પરજીવીનો ઉપયોગ વધારવો.
• બ્યુવેરીયા બેસીયાના ૮૦ ગ્રામ / ૧૦ લિટર પાણી, સ્ટાર્ચ ૧% (૧૦ ગ્રામ / લિટર પાણી) સાથે, પ્રથમ છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરુ થયે અને ત્યારબાદ બીજા અને ત્રીજા છંટકાવ, પ્રથમ છંટકાવના ૧૦ દિવસના અંતરે કરવો. આયસેરીયા ફૂમોસોરોસિયા ૦.૦૦૯% (૮૦ ગ્રામ / ૧૦ લિટર પાણી) સ્ટાર્ચ ૧% (૧૦ ગ્રામ /લિટર પાણી) સાથે, પ્રથમ છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરૂ થયે ત્યારબાદ બીજા અને ત્રીજા છંટકાવ, પ્રથમ છંટકાવના ૧૦ દિવસના અંતરે કરવો.
• વધુ ઉપદ્રવ હોય ત્યારે પાયરીપ્રોકસીફેન ૧૦% બાયફેન્થ્રીન ૧૦% ઈસી ૦.૦૨% (૧૦ મિ.લિ. / ૧૦ લિટર પાણી) અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૦.૦૨૭% (૧૨ મિ.લિ. / ૧૦ લિટર પાણી) ૧% સ્ટાર્ચ સાથે (૧૦ ગ્રામ /લિટર પાણી), પ્રથમ છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરુ થયે અને ત્યારબાદ બીજા અને ત્રીજા છંટકાવ, પ્રથમ છંટકાવના ૧૦ દિવસના અંતરે કરવો.
• વધુ ઉપદ્રવ હોય ત્યારે પાયરીપ્રોકસીફેન ૧૦% બાયફેનથ્રીન ૧૦% ઈસી ૦.૦૨% (૧૦ મિ.લિ. / ૧૦ લિટર પાણી) અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૦.૦૨૭% (૧૨ મિ.લિ. / ૧૦ લિટર પાણી) અથવા ડાયાફેનથ્યુરોન ૫૦% ડબ્લ્યુપી ૦.૦૫% (૧૦ ગ્રામ / ૧૦ લિટર પાણી) ૧% સ્ટાર્ચ સાથે (૧૦ ગ્રામ / ૧૦ લિટર પાણી), પ્રથમ છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરુ થયે અને ત્યારબાદ બીજા અને ત્રીજા છંટકાવ, પ્રથમ છંટકાવના ૧૦ દિવસના અંતરે કરવો.