»ઘઉંઃ
• પાનનો ગેરુ.
• ઓળખઃ ફૂગથી થતા આ રોગને કારણે પાન અને પર્ણદંડ ઉપર છુટા છવાયા લંબગોળાકાર નારંગી રંગનાં ઉપસેલા ટપકાં જાવા મળે છે.
:» દાંડીનો ગેરુ:
• ઓળખઃ પાકની પાછલી અવસ્થામાં પાન, પ્રકાંડ તથા ઉંબી ઉપર ત્રાકાકાર ઉપસેલા કથ્થઈ રંગની ફૂગની બીજાણુધાની જાવા મળે છે
• રોગની શરૂઆત થયે મેન્કોઝેબ ૭પ વે.પા. (ર૭ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ સી. (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી)મુજબનું દ્રાવણ બનાવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧પ દિવસના અંતરે વારાફરતી બીજા છંટકાવ કરવા.
• દક્ષિણ સૌરાષ્ટ્રનાં ખેડૂતોએ ૫૦ ગ્રામ/૧૦ લિ. પાણીમાં ઝીંક સલ્ફેટના બે છંટકાવ નીંઘલ અને દુધિયા દાણાની અવસ્થાએ કરવા.
• ઉધઈનાં નિયંત્રણ માટે ફ્રીપ્રોનીલ ૧.૬ લિટર અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ૧ હેકટરમાં પુંકીને પિયત આપવું.
» જીરૂ:
» ચરમી:
• ઓળખઃ ફૂગ જન્ય રોગની શરૂયાત પાકની એક માસની અવસ્થાએથી થાય છે. જેમાં શરૂઆતમાં રોગગ્રસ્ત પાન પર કથ્થાઈ રંગના ટપકા જાવા મળે છે. જેનું કદ ધીરે ધીરે વધતા આખા પાન કથ્થાઈ રંગમાં પરિવર્તિત પામે છે. રોગની તિવ્રતા વધતા છોડની ડાળી અને થડ પર પણ બદામીથી કાળા રંગનાં ધાબા જાવા મળે છે. આવા ધાબા પડેલ ભાગ પરથી ડાળીઓ નમી પડે છે અને છેલ્લે આખો છોડ સુકાઈ જાય છે. ઝાકળને કારણે ફૂગની વૃદ્ધિ થવાથી આ ફૂગના અસંખ્ય બીજાણુઓ છોડની સપાટી ઉપર બને છે. જે પવન મારફત ફેલાઈ બીજા છોડમાં ચેપ લગાડે છે. છોડની શરૂઆતની અવસ્થાએ રોગ લાગે તો ફુલ બેસતા નથી. ફુલ અવસ્થાએ રોગ લાગે તો દાણા બેસતા નથી અને બેસે તો દાણા ચીમળાયેલા હલકા અને કાળા રંગના જાવા મળે છે. કમોસમી વરસાદને કારણે ઉદભાવતા ઠંડા ભેજવાળા અને વાદળછાયા વાતાવરણમાં આ રોગ ઝડપથી પ્રસરે છે. ઝાકળ અને ધુમ્મસ આ રોગનું પ્રમાણ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. ચરમીના રોગને કારણે પાક ઘણી વખત સંપૂર્ણપણે નિષ્ફળ પણ જાય છે.
• રોગ વ્યવસ્થાપનઃ પાક એક માસનો થાય ત્યારથી મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. (ર૭ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા મેટીરામ પપ પાયરેકલોસ્ટ્રોબીન પ ડબલ્યુ.જી. (૩૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા પાયરેકલોસ્ટ્રોબીન ૧૩.૩ ઈપોકઝીકોનાઝોલ પ એસ.ઈ. (૧પ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા કેપ્ટાન ૭૦ હેક્ઝાકોનાઝોલ ૫ ડબલ્યુ.પી. (૧૫ ગ્રામ/૧૦ લિટર પાણી) મુજબનું દ્રાવણ બનાવી ૩ થી ૪ છંટકાવ ૧૦ થી ૧ર દિવસનાં અંતરે વારાફરતી કરવા. જીરૂનો પાક એકની એક જગ્યાએ દર વર્ષે ન લેવો. ઠંડીની શરૂઆત થયે સમયસરનું વાવેતર કરવું. જીરૂના કયારા નાના રાખવા. હળવું પિયત આપવું. વાદળછાયું અને વરસાદી વાતાવરણ હોય તો પિયત આપવાનું ટાળવું. ક્યારાની પાછળના ભાગે પાણી ન ભરાવા દેવું. નાઈટ્રોજનયુકત ખાતરનો વધુ પડતો ઉપયોગ ન કરવો. રોગિષ્ટ છોડ ઉપાડીને તેનો નાશ કરવો. યોગ્ય વાવેતર દર રાખવો અને જીરૂનું ઘાટું વાવેતર ન કરવું. જીરૂનું વાવેતર વધુ પાણીની જરૂરિયાત વાળા પાકો જેવા કે ઘઉં અથવા ડુંગળીની આજુબાજુમાં ના કરવું.
»વરીયાળી:
» ચરમી:
• ઓળખઃ આ ફૂગથી થતો અગત્યનો રોગ છે. રોગની શરૂઆત છોડની નીચેના ભાગેથી શરૂ થઈ ઉપરના ભાગ તરફ આગળ વધે છે. આ રોગ સૌપ્રથમ પાન, ડાળીઓ અને ચક્કરની દાંડી જેવા કુમળા ભાગમાં તેમજ દાણા ઉપર છીંકણી રંગના નાના ટપકાના રૂપમાં જાવા મળે છે. રોગના તીવ્ર અસરવાળા થડ, ડાળી, ચકકરની પાંખડીઓ વગેરે ભાગો સફેદ અથવા રાખોડી રંગના થઈ ગયેલા જાવા મળે છે. ચકકરમાં ફુલની જગ્યાએ દાણા બેસતા નથી. દાણા બેસે તો કદમાં નાના અને ચીમળાઈ ગયેલ કાળાશ પડતા જાવા મળે છે. ર૦-ર૪ સે.ગ્રે. તાપમાન અને ૭પ% કરતાં વધુ ભેજ આ રોગને વધુ અનુકૂળ આવે છે. ઠંડી અને કમોસમી વરસાદ રોગના ફેલાવા માટે વધુ અસરકારક છે.
• રોગ વ્યવસ્થાપનઃ રોગમુકત બીજની વાવેતર માટે પસંદગી કરવી. વાવતા પહેલાં બીજને થાયરમ ૪૦ એફ.એસ.નો ૩ ગ્રામ/કિગ્રા બીજ પ્રમાણે પટ આપવો. રોગની શરૂઆત થયે મેન્કોઝેબ ૭૫ વે.પા. (ર૭ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા કાર્બેન્ડાઝીમ ૧ર મેન્કોઝેબ ૬૩ (રપ ગ્રામ/૧૦ લિટર પાણી) મુજબનું દ્રાવણ બનાવી છાંટવું.
સાકરિયો / મધિયો:
• ઓળખઃ વરિયાળીના છોડના ફુલમાંથી મધ જેવું ચીકણું પ્રવાહી ઝરે છે. જેના કારણે કાળી ફૂગનો ઉપદ્રવ થવાથી છોડ કાળા પડે છે. પરિણામે ચક્કરમાં દાણા બેસતા નથી. ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય અને દાણાની ગુણવત્તા ઘટે છે. આ એક પ્રકારની દેહધાર્મિક
વિકૃતિને કારણે પરિણમે છે. ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં પિયત અને નાઈટ્રોજનયુકત ખાતરોનો વધુ વપરાશ કરવાથી રોગ વધે છે.
• રોગ વ્યવસ્થાપનઃ વધુ પડતા પિયત અને નાઈટ્રોજનયુકત ખાતરોનો ઉપયોગ ટાળવો.
ભૂકીછારાના રોગના નિયંત્રણ માટે વહેલી સવારે ગંધક ૮૦% વેટેબલ પાવડર ૨૫ ગ્રામ અથવા ૩૦૦ મેશનો ગંધક પાવડર હેકટરે ૧૫ થી ૨૦ કિલોગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ઓળખઃ જમીન જન્ય ફૂગથી થતો આ રોગ ફેરરોપણી પછી ૧પ થી ર૦ દિવસ બાદ જાવા મળે છે. છોડની વૃદ્ધિ માટે જરૂરી પાણી તથા પોષક તત્વો છોડને ન મળવાથી છોડ ઉપરથી પીળો પડે છે. છોડ લંધાતો જણાય અને સમય જતાં છોડ જમીન ઉપર ઢળી પડે છે. છોડના બધા જ મૂળ ભૂખરા, રેષાવાળા તાંતણા જેવા લાગે છે. ફેરરોપણી પછી ૧પ થી ર૦ દિવસ બાદનું જમીનનું ઉષ્ણતામાન ઉંચુ હોય ત્યારે રોગની શરૂઆત થાય છે.
• રોગ વ્યવસ્થાપનઃ ફેરરોપણી કરતાં પહેલાં ધરૂના મૂળને કોપર ઓકઝીક્લોરાઈડ (૪૦ ગ્રામ/૧૦ લિટર પાણી) મુજબના દ્રાવણમાં ૧૫ થી ૨૦ મિનિટ સુધી બોળવા. ફેરરોપણી બાદ ૬પ થી ૭પ દિવસે કોપર ઓકઝીક્લોરાઈડ (૪૦ ગ્રામ/૧૦ લિટર પાણી) નું દ્રાવણ છોડના થડની આજુબાજુ જમીનમાં રેડવું. છોડ પાણીના સીધા સંપર્કમાં લાંબો સમય ન રહે તે માટે થડની આજુ બાજુ માટી ચઢાવવી.