ખેડ:
• ખેડનો પ્રકાર અને સમય જમીનના વાતાવરણ પર અસર કરતા જાવા મળે છે. જુદી જુદી જીવાતોના જીવન ઉપર પણ આ પ્રકારની ખેડો અસર કરતી જાવા મળે છે.
બીનરોપાણ જમીનમાં ઊંડી ખેડ કરવી જેથી લીલી ઇયળ તેમજ થડ કાપનારી ઇયળની સુષુપ્ત અવસ્થા કે જે જમીનમાં હોય છે તેની સંખ્યામાં ઘટાડો થાય છે.
• ઘઊંના પાકની કાપણી બાદ એટલે કે એપ્રીલ- મે મહિના દરમ્યાન ઊંડી ખેડ કરવાથી મૂળના ચાંચવા જમીન ઉપર આવી જાય છે જેનાથી પક્ષીઓ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આ રીતે તેનો ઉપદ્રવ ઓછો થાય છે.
• ઊંડા ખેડાણથી ધાન્ય પાકોની લશ્કરી ઇયળ, મગફળી તથા મરચીમાં ઉપદ્રવ કરતા ધૈણ, તેમજ બહુભોજી જીવાત કાતરાનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
• વેલાવાળા શાકભાજી તથા ફળપાકોમાં આંતર ખેડ કરવાથી તેમજ ચોખ્ખાઇ રાખવાથી ફળમાખીની ઇયળો તેમજ તેના કોશેટા નાશ પામે છે.
મગફળીઃ થડનો કોહવારો અને ડોડવાનો સડો સ્કેલેરોસીયમ રોલ્ફસાઈ નામની ફુગથી થતો આ જમીનજન્ય રોગ છે. ખેડૂતો આ રોગને સફેદ ફુગના રોગના નામે ઓળળે છે. આ રોગ મગફળી વાવતા બધાજ વિસ્તારોમાં જાવા મળે છે. થડ, મૂળ અને ડોડવામાં થતા નુકસાનને લીધે મગફળીના છોડની સંખ્યામાં ઘરખમ ઘટાડો થાય છે. આ રોગ ખાસ કરીને ચોમાસુ ઋતુ દરમ્યાન સૌરાષ્ટ્રમાં વધુ દેખાય છે.
રોગનાં લક્ષાણો: આ રોગમાં જમીન લગોલગ થડ ઉપર આછા ભૂખરા રંગના ધાબા દેખાય છે. જમીનની અંદર રહેલા થડ ઉપર પણ આવા ચિન્હો દેખાય છે. શરૂઆતમાં આવા રોગિષ્ટ છોડ પર જમીન લગોલગ થડ ઉપર સફેદ ફુગના તાંતણા જાવા મળે છે અને તેમા ઝીણી ગોળાકાર સફેદ રંગની પેશીઓ બને છે. આ સફેદ ફુગ મગફળીના ડોડવાને પણ લાગે છે અને અને આના કારણે ફુગથી છોડ ઘેરાઈ જાય છે અને સુકાઈ જાય છે. ખેતરમાં દૂરથી અસરગ્રસ્ત છોડ લંઘાતા (સૂકાતા) જાવા મળે છે અને મોટા ભાગે મગફળી પાકવાની અવસ્થાએ આ રોગ ઉગ્ર હોય છે.
નિયંત્રણ: ઉભા પાકમાં રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફુગ ઢંકાઈ જાય તે રીતે નાંખવી અને પગથી જમીન દબાવી દેવી.
તુવેર: ચૂસિયા
ઓળખ: ચૂસિયાની જુદી જુદી જાતો જાવા મળે છે. તે લીલા, ભૂખરા અથવા કાળાશ પડતા બદામી રંગનાં હોય છે અને વક્ષા પર બંને બાજુએ કાંટા હોય છે.
નુકસાન: આ ચૂસિયા તુવેર તેમજ ઉનાળું કઠોળ પાકોમાં નુકસાન કરે છે. તે શીંગોમાંથી રસ ચૂસે છે, પરિણામે દાણા ચીમળાઈ જાય છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે.
રસ ચૂસીને નુકસાન કરતી જીવાતોનું નિયંત્રણ:
શોષક પ્રકારની દવા, જેવી કે ડાયમીથોએટ ૧૦ મિ.લિ. અથવા ફલોનીકામાઈડ ૩ ગ્રામ અથવા થાયામીથોકઝામ ૪ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૪ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં મેળવીને જરૂરત મુજબ છંટકાવ કરવો.

 

રીંગણ, મરચી તથા ટમેટીનું ધરૂ ઉછેર:
• એક હેક્ટરના વાવેતર માટે ૧૦૦ થી ૧૫૦ ચો.મી.ના ધરૂવાડીયાની જરૂરીયાત રહે છે. જમીનનું સોલેરાઈઝેશન કરવું.
• ધરૂવાડીયામાં ૧૦૦ કિલો છાણીયુ ખાતર, ૫ કિલો દિવેલીનો ખોળ, ૫ કિલો ડી.એ.પી. તથા ૨૫૦ ગ્રામ ફોરેટ – ૧૦ જી. દવા ધરૂવાડીયુ તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવવું. ત્યારબાદ ૪ ટટ ૧ મીટરના ૧૫ સે.મી. ઉંચાઈના ગાદી કયારા બનાવવા.
• રીંગણ તથા ટમેટી માટે હેકટરે ૩૦૦ થી ૩૫૦ ગ્રામ તથા મરચી માટે હેકટરે ૭૫૦ ગ્રામ બીજની જરૂરિયાત રહે છે.
• બીજને વાવતા પહેલા કાર્બેન્ડાઝીમ દવાનો (૨-૩ ગ્રામ / કિલો બીજ) પટ આપવો.
• બીજ વાવેતર બાદ હળવું પિયત આપવું.
ધરૂ ઉછેર દરમ્યાન પાક સંરક્ષણના પુરતા પગલાં લેવા. જેથી તંદુરસ્ત છોડ મળે અને
રોપણી કર્યા બાદ તેમા રોગ અને જીવાતનું પ્રમાણ ઘટે છે, તેમજ રોપણી કર્યા બાદ છોડ
પશુપાલન:
• ગીર ગાયના દૂધ વધારવા માટે મારવેલ જીંજવો દરરોજ ૧૦ કિલો આપવો.
• સુરતી ભેંસોના ખોરાકમાં મેથી પલાળીને આપવાથી દૂધ ઉત્પાદન વધે છે.
• બચ્ચાને વિયાણ પછી એક કે બે કલાકે ૧૦ ટકા વજન મુજબ ખીરું આપવું ઓછા સુકાવાના કારણે ખાલા પડતા નથી.

 

સૂર્યમુખીઃ
• વાવેતર બાદ ૩૦ દિવસે ૬૫ કિ.ગ્રા. યુરીયા અથવા ૧૫૦ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ આપવું.
કસુંબીઃ
• ભીમા, તારાનું વાવેતર કરવું . બીજાનો દર ૧૨-૧૫ / હે. રાખવો.
જીરૂ:
• જીરૂનું વાવેતર નવેમ્બરના પહેલા અઠવાડિયામાં કરવું.
• જીરૂમાં ટપક પદ્ધતિ અપનાવો તેમજ ૩૦ ૨૫ ૧૫ હે આપો
• વાવતેર માટે ગુજરાત જીરૂ-૨,૩ અને ૪ પૈકી એક જાતની વાવણી કરવી.
• બીજનો દર ૧૨ થી ૧૬ કિ.ગ્રા./હે. રાખવો અને વાવેતર વખતે ૪૩ કિ.ગ્રા. ડીએપી અને ૨૦ કિ.ગ્રા. યુરીયા આપવું.
• બીજને ૮ કલાક પાણીમાં પલાળી છાયામાં સુકવી ૧ કિલોગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ થાયરામનો પટ આપવો.
ધાણા:
• ગુજરાત ધાણા -૧ અથવા ૨ નું વાવેતર કરવું તેમજ લીલા ધાણા કે કોથમીર માટે શીતલ જાતનું વાવેતર કરવું.
• વાવેતર નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં કરવું અને બીજનો દર ૨૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે રાખવો.
• ધાણાના ફાડીયા કરી સૂર્યના તાપમાં તપાવી ૧૦ થી ૧૨ કલાક પાણીમાં પલાળી સુકવ્યા બાદ વાવતેર કરવું.
દિવેલા:
• દિવેલામાં આંતર પાક તરીકે ચણા લઈ શકાય.
ઘઉંઃ
• વાવેતર વખતે ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૬૦કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૬૦ કિ.ગ્રા. પોટાશ પ્રતિ હેક્ટર પ્રમાણે આપવું.
• ઘઉંના ૧ કિલોગ્રામ બીજને ૩ ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ દવાનો પટ આપી વાવેતર કરવું.
• નિંદામણ વધું થતું હોય તો પેન્ડીમેથેલીન (સ્ટોમ ) ઉગતા પહેલા છંટકાવ કરવો.
• ઘઉંમાં ૫૦ કિલોગ્રામ પોટાશ તેમજ ૨૫ કિલોગ્રામ ઝીંક સલ્ફેટ આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.
રાઈઃ
• પાન વાળનાર ઇયળ માટે કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨૫ મિ.લી. અથવા ક્વીનાલફોસ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરૂ થયેથી સાત દિવસના અંતરે કરવો.